એનરિચ અમદાવાદમાં ત્રણ નવા સ્ટોર્સનો પ્રારંભ કરશે

0
7508

એનરિચ નિકોલ, સાયન્સ સિટી અને શાહિબાગ ખાતે નવા સ્ટોર્સ ખોલ્યા

પ્રખ્યાત બ્યુટી અને વેલનેસ બ્રાન્ડ એનરિચ અમદાવાદમાં ત્રણ નવા સ્ટોર્સના ભવ્ય પ્રારંભની જાહેરાત કરવા માટે ઉત્સાહિત છે. નિકોલ, સાયન્સ સિટી અને શાહીબાગમાં સ્થિત આ સ્ટોર્સ એક અન્ય ફોર્મેટ પ્રદાન કરે છે કે જેમાં એક જ સ્થળે સૌંદર્ય સેવાઓ અને છૂટક ઉત્પાદનોનું સંયોજન છે.

એનરિચના નવા સ્ટોર્સ પર, તમે બાલયાજ જેવી સર્જનાત્મક હેર કલર સેવાઓ, કેરાસ્તેસ રિચ્યુઅલ્સ જેવી વાળની સારવાર,હેર બોટોક્સ અને લક્ઝરી ફેશિયલ, મેનિક્યોર અને પેડિક્યોર જેવી ત્વચા સંબંધિત સેવાઓ સહિતની સૌંદર્ય સેવાઓની વિશાળ શ્રેણીનો અનુભવ કરી શકો છો. આ નવા સ્ટોર્સની વિશેષતા પ્રખ્યાત સૌંદર્ય ઉત્પાદનોની વ્યાપક શ્રેણીની રજૂઆત છેજેમાં મેકઅપ, સુગંધિત દ્રવ્યો, સ્કિનકેર અને હેરકેરનો સમાવેશ થાય છે, જે અમારા ગ્રાહકોને પહેલાં ક્યારેય ન માળ્યો હોય તેવો સૌંદર્યનો સર્વાંગી અનુભવ પ્રદાન કરે છે. 

અહીં એનરિચની અનન્ય સુવિધાઓની કેટલીક હાઇલાઇટ્સ છે:

વૈભવી સુગંધ: રાલ્ફ લોરેન, પ્રાડા, યવેસ સેઈન્ટ લોરેન્ટ, જ્યોર્જિયો અરમાની, પેકો રબાને, કેરોલિના હેરેરા, ડોલ્સે અને ગબ્બાના, વર્સાચે, સાલ્વાટોર ફેરાગામો, વગેરે. 

વિશિષ્ટ સૌંદર્ય પ્રસાધનો: લેક્મે, શેમ્બોર,મેબેલિન ન્યુ યોર્ક, એનવાયએક્સ પ્રોફેશનલ મેકઅપ,લોરીઅલ પેરિસ, વગેરે

ત્વચા સંભાળ/ વાળ સંભાળમાંઉત્કૃષ્ટ: લોરીઅલ પ્રોફેશનલ, કેરાસ્ટેઝ, ઓલાપ્લેક્સ, ધ ફેસ શોપ, થૅલ્ગો, રેમી લોરે, બોર્ન એથિકલ, વગેરે.

એનરિચના સ્થાપક વિક્રમ ભટ્ટે અમદાવાદમાં નવા સ્ટોર્સ શરૂ કરવા અંગે તેમનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “અમદાવાદ અમારા હૃદયમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છેઅને અમે અમારા ગ્રાહકોને આ વાઇબ્રન્ટ શહેરમાં એક નવો અને અનોખો અનુભવ આપવા માટે રોમાંચિત છીએ. રિટેલને સમાવિષ્ટ કરવા માટે અમારી સેવાઓનું વિસ્તરણ કરીને,અમે અમારા પ્રેક્ષકોને સર્વગ્રાહી વ્યક્તિગત અનુભવપ્રદાન કરવામાં આનંદ અનુભવીએ છીએ જે અમારા સલુન્સમાં વ્યક્તિગત સેવાઓ પ્રદાન કરવાની અમારી લાંબા સમયથી પ્રતિબદ્ધતા પર આધારિત છે. અમે બ્યુટી અને વેલનેસના ક્ષેત્રમાં નવા માપદંડો સ્થાપિત કરવા માટે પ્રયત્નશીલ હોઈ અમે દરેકને આ રોમાંચક યાત્રાનો ભાગ બનવા માટે આમંત્રિત કરીએ છીએ.’

નિકોલ અને સાયન્સ સિટીમાં નવા સ્ટોર્સના ભવ્ય ઉદઘાટન સમયેઅમદાવાદના માનનીય મેયરશ્રી ઉપસ્થિતિ નોંધાવશે સાથે અન્યમહાનુભાવો શ્રીમતી કંચનબેન રાદડીયાજી(માનનીય ધારાસભ્ય ગુજરાત),ગાયક અને અભિનેતા શ્રી અરવિંદ વેગડાજી, શ્રી મહર્ષિ દેસાઈ (મેમ્બર-કલ્ચરલ સેલ ભાજપ ગુજરાત), શ્રી રાકેશ ભાવસાર પ્રેસિડન્ટ-ભાજપખાડિયા, શ્રી ભાવેશ દવે મેનેજિંગ એડિટર – નમો ટાઈમ્સ પણ ઉપસ્થિતરહેશે અને અમને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે આ સ્ટોર્સ હવે સંપૂર્ણ રીતે કાર્યરત છે. શાહીબાગ સ્ટોર ઓગસ્ટમાં શરૂ થશે જે અમદાવાદમાં અમારા એનરિચ પરિવાર માટે વધુ એક આનંદદાયક સ્થળ હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here